ભરૂચ: ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યામાં સંડોવાયેલા દાઉદ ઇબ્રાહિમના સાગરિત જાવો ઉર્ફે ઝાહિદમિયા શેખની દ. આફ્રિકાના પ્રિટોરીયામાંથી સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. બેવડી હત્યાની તપાસમાં ભારતીય પોલીસે પૂછપરછની માગ કરતાં આફ્રિકાની સરકારે પરવાનગી આપી છે. શિરિષ અને પ્રજ્ઞેશની બીજી નવેમ્બર ૨૦૧૫ના રોજ સેવાશ્રમ રોડ પર આવેલા સૂર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. દાઉદ ઇબ્રાહિમે કટ્ટરવાદી હિન્દુ નેતાઓની હત્યા માટે તેને સોપારી આપી હોવાનો ખુલાસો એનઆઇએએ કર્યો હતો. કેસમાં ૧૨ આરોપીની ધરપકડ કરાઈ છે.