માતાની આત્મહત્યાના ચોથા દિવસે બે દીકરીઓનો આપઘાત

Wednesday 26th April 2017 07:36 EDT
 

સુરતઃ કાપોદ્રાના ગોહિલ પરિવારમાં આપઘાતની હારમાળા સર્જાઈ છે. મૂળ ભાવનગર ગારિયાધારના સુરનગર ગામનો આ રિવાર કાપોદ્રામાં વસતો હતો. પરિવારના મોભી અને ત્રણ પુત્રી તથા એક પુત્રના પિતાએ થોડા સમય અગાઉ આપઘાત કરી લીધો હતો. એ પછી આ મૃતકની પત્ની પેટે પાટા બાંધીને બાળકોનો ઉછેર કરતી હતી. ચાર બાળકોમાંથી મંદબુદ્ધિની દીકરીની વ્યથામાં ૧૭મીએ માતાએ પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને ચાર દિવસ થયા ત્યાં ૨૧મીએ મોટી બહેને મંદબુદ્ધિની બહેનને ઝેર પાઈ દીધું અને પોતે પણ મોત વહાલું કરી લીધું.
એક પછી એક સભ્યોના મોત થતાં પરિવારના દીકરાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને સંબંધીઓએ બચાવી લીધો હતો. પરિવારની સૌથી મોટી દીકરી હાલમાં પરણિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter