રમઝાનમાં પિતા દ્વારા એકના એક NRI પુત્રની હત્યા

Tuesday 28th April 2020 15:36 EDT
 

સુરતઃ રાણીતળાવ વિસ્તારના ભારબંધવાડમાં રહેતા અબ્દુલ હમીદ મણીયાર ઉર્ફે મુન્નાભાઈએ ૨૪મી એપ્રિલે બપોરે ૩-૩૦ વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં એકના એક પુત્ર ઇમરાનની ચપ્પુના બે ઘા ઝીંકી હત્યા કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી લંડન રહેતો ઇમરાન અવારનવાર સુરત આવતો હતો. ઇમરાને થોડા સમય અગાઉ જ ઘરમાં રિનોવેશન કરાવ્યું હતું અને તે માટે તેના પિતાએ રૂ. ૧.૮૦ લાખ આપ્યા હતા. આ રકમના જ હિસાબના મામલે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં પિતાએ એકના એક પુત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પવિત્ર રમઝાન માસ શરૂ થયો તેના ગણતરીના કલાક પહેલાં જ બનેલી આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લાલગેટ પોલીસે ઇમરાનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેના પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter