સુરત એરપોર્ટને મોરારજી દેસાઇનું નામ અપાશે

પોરબંદર એરપોર્ટનું નામ ‘મહાત્મા ગાંધી ડોમેસ્ટિક એરપોર્ટ’ થશે

Thursday 30th April 2015 06:55 EDT
 
 

સુરત એરપોર્ટના નામકરણ અને વિકાસ માટેના પગલાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લીધા છે. જેમાં આ એરપોર્ટને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઇનું નામ આપવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલયે આ અંગે પ્રક્રિયા શરૂ કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નોંધ મોકલાઇ છે. ટૂંક સમયમાં સુરત એરપોર્ટનું ‘મોરાજી દેસાઇ ડોમેસ્ટિક એરપોર્ટ’ નામકરણ કરાશે. આ ઉપરાંત પોરબંદર એરપોર્ટનું નામ ‘મહાત્મા ગાંધી ડોમેસ્ટિક એરપોર્ટ’ કરાશે. આ સાથે જ સુરત એરપોર્ટ ખાતે રન-વેને વિકસાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. જે મુજબ ૨૦૦ મીટરના ડેમેજ રન-વેને સુધારી રૂ. ૬૯ કરોડના ખર્ચે ૬૫૦ મીટરના રન-વે નું વિસ્તરણ કરાશે. જે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter