સુરતઃ હીરાઉદ્યોગકાર દીપેશ શાહનાં ૧૨ વર્ષીય પુત્ર ભવ્ય શાહે ૧૯મી એપ્રિલે સંસારની મોહમાયાને ત્યજીને સાધુ જીવન સ્વીકાર્યું છે. ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાહે આચાર્ય રશ્મિરત્નસુરી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. ફેરારી ગાડીના શોખીન ભવ્ય શાહને દીક્ષા મુહૂર્તે લેવા જવા માટે તેના મિત્રએ ફેરારી ગાડી મોકલી હતી. આ ઉપરાંત ૧૮મીએ શહેરમાં મુમુક્ષુ ભવ્ય શાહની બાહુબલી અંદાજમાં શહેરમાં ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી. જેમાં ઉપસ્થિત હજારોની મેદની મુમુક્ષુ ભવ્ય શાહની અનુમોદના કરી હતી. ૧૯મીએ ઉમરા જૈન સંઘ ખાતે ભવ્યકુમાર શાહે આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિમાં મુનિરાજ ભાગ્યરત્ન બની સાધુ જીવન જીવવાની દીક્ષા લીધી હતી.