દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખપદ માટે બળવંત જાની ઉમેદવાર

Wednesday 20th December 2017 05:20 EST
 
 

દિલ્હીઃ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે ગુજરાતી સાહિત્યકાર ડો. બળવંત જાનીએ ઉમેદવારી નોંધાવી છે. ૧૯૫૪માં સ્થપાયેલી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંચાલિત ઓટોનોમસ સંસ્થા છે. આ અકાદમી ૨૨ ભારતીય ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરે છે અને અનુવાદ, સંશોધન અને સેમીનાર વગેરે રાષ્ટ્રભરમાં આયોજિત કરે છે. આ ઉપરાંત આ અકાદમી ચાર ઇનામો આપે છે જેમાં મુખ્ય અકાદમી પુરસ્કાર, બાળ સાહિત્ય પુરસ્કાર, અનુવાદ પુરસ્કાર અને યુવા પુરસ્કારનો સમાવેશ થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter