અમદાવાદઃ વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામની જાહેરાત થતાં કોંગ્રેસમાં ભડકો થયો છે. કુંવરજી બાવળિયાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ નિર્ણયના કારણે પાર્ટીમાં અસંતોષ ફેલાશે. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ નિર્ણય ભારે પડશે. વિરોધપક્ષના નેતા તરીકે બાવળિયાએ પણ દાવેદારી કરી હતી. ધાનાણીના નામની જાહેરાત થતાં જ રાજકોટમાં કુંવરજી બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી હોવાની વાત પક્ષના ટોચના નેતાઓને પણ જાણવા મળી હોવાનું કહેવાય છે.


