સોહરાબુદ્દીન, તુલસી અને ઇશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસમાં ૨૮૬૦ દિવસ જેલવાસ ભોગવ્યા બાદ ત્રાસવાદ વિરોધી દળના તત્કાલીન વડા ડી. જી. વણઝારા ગત સપ્તાહે જામીન પર જેલમુક્ત થયા છે. બહુચર્ચિત આ ત્રણેય કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના આરોપ પછી વણઝારા પોતાનો બચાવ કરે છે. તેમણે કહ્યું છે કે, આ એન્કાઉન્ટર સાચા છે પણ પછીની બંને તપાસ એજન્સીની કાર્યવાહી બોગસ છે. જેલ મુક્ત થયા બાદ તેમણે એક રાજકારણીને છાજે કેવા પોષાકમાં સજ્જ થઇને દેશમાં માનવતાની વાત ઉજાગર કરી હતી. તેમને ગુજરાત બહાર રહેવાનો આદેશ થયો હોવાથી તેઓ સાંજે જ મુંબઈ પહોંચી ગયા હતા.