પત્રકાર કમલ ઠાકરનો આપઘાત

Wednesday 01st March 2017 06:52 EST
 

અમદાવાદઃ ‘આપઘાત’ શબ્દ પોતે જ અનેક રીતે વિચાર કરતા કરી મૂકે છે. વીતેલા સપ્તાહે ‘જન્મભૂમિ’ પત્રોના વરિષ્ઠ પત્રકાર કમલ ઠાકરે અમદાવાદની કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તે સમાચારથી પત્રકાર-વર્તુળમાં ભારે આઘાત અને નવાઈની લાગણી ફેલાઈ ગઈ છે. કમલ ઠાકર ‘જન્મભૂમિ’માંથી નિવૃત્ત થયા પછી દૂરદર્શનમાં કામ કરતા હતા. સમાચાર-શોધન અને સંપાદન બન્નેમાં તેમનો હાથ કુશળ હતો.

સંગીતના રસિયા અને કંઠમાં મધુરતા એટલે ‘વોઇસ ઓફ મુકેશ’ તરીકે જાણીતા હતા. એકદમ તંદુરસ્ત દેખાતું શરીર, સદા હસતો ચહેરો, પત્ની - પુત્ર - પરિવારની જવાબદારીનું સફળતાથી વહન કરી રહેલા ઠાકરને આંતરડાની બીમારી હતી અને તેનાથી તેઓ થાકી ગયા હતા. તેમણે મૃત્યુ પૂર્વે લખેલી ચિઠ્ઠીમાંય આ જ બાબત જણાવી છે. ‘બીમાર તરીકે હું કોઈનો બોજ બનવા નથી માગતો’ એ તેમનું વાક્ય હતું. ગુજરાતમાં કોઈ પત્રકારે આપઘાત કર્યાની આ પહેલી ઘટના છે. મુંબઈમાં વર્ષો પૂર્વે એક સાહિત્યકાર-કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે આપઘાત કર્યો હતો તે પછી શબ્દો સાથે જોડાયેલી બીજી વ્યક્તિ કમલ ઠાકર છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter