ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રધાન પરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. રૂ. ૪૦૦ કરોડના કથિત મત્સ્યોદ્યોગ કૌભાંડમાં ગાંધીનગરની કોર્ટે સોલંકી સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે. ગાંધીનગર કોર્ટમાં ચાલતી કાર્યવાહી રાહત મેળવવા માટે સોલંકીએ ૧૬મીએ જ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટે તેમની અરજી ફગાવીને સ્પે. એસીબી કોર્ટ સમક્ષ ૧૫ દિવસમાં હાજર થવા નિર્દેશ કર્યો હતો.

