ગાંધીનગરઃ લોકરક્ષક દળની બીજીએ યોજાનારી પરીક્ષાના પેપર લીક થયા હતા. આ કૌભાંડમાં યશપાલ, ઇન્દ્રવદન તથા નિલેશ મુખ્ય સૂત્રધારો હતા. તેઓ દિલ્હીની પેપર ફોડ ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હતા. આ ગુનામાં નાસતા ફરતા મુખ્ય સૂત્રધારો યશપાલ સોલંકી, ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરાઈ છે. જ્યારે ભાગુડે નિલેશની શોધખોળ ચાલે છે. આરોપી યશપાલ આન્સરશીટ પાછળ પ્રશ્નો લખીને ચબરખીને વેફરના પેકેટમાં મૂકીને લાવ્યો હતો. તેના જવાબો તૈયાર કરીને તેણે અન્યને આપ્યા હતા.

