પ્રથમ નોરતે જ ભક્તોનું ઘોડાપૂર

Wednesday 28th September 2022 05:21 EDT
 
 

કોરોનાકાળના બે વર્ષ બાદ નિયંત્રણમુક્ત નવરાત્રિ પર્વ ઉજવી રહેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. સોમવારે પ્રથમ નોરતે પાવાગઢ, અંબાજી અને બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. પાવાગઢમાં દર્શન માટે સવારે 4 કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લા મુકાયા હતા. સવારે 9 વાગ્યા સુધીમાં તો દોઢ લાખ અને મોડી સાંજ સુધી 4 લાખ ભક્તોએ દર્શન કર્યા. જ્યારે મા અંબાજીના મંદિરમાં એક લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. બહુચરાજી મંદિરમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ વચ્ચે ઘટસ્થાપન કરાયું હતું. હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઊમટી પડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter