બચાવી શકો તો બચાવજો ગુજરાતનેઃ પત્ર મળતાં સુરક્ષા ખાતું એલર્ટ

Friday 06th March 2020 07:30 EST
 

અમદાવાદઃ NRCના નામે આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરવાની ચેતવણી આપતો પત્ર સ્ટેટ આઈબીને મળતા સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ સેન્ટ્રલ આઈબી દ્વારા આ પત્ર સ્ટેટ આઈબીને આપવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, અમે છેલ્લા ઘણાં દિવસથી તમારા શહેરમાં છીએ અને ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી તેમના પર હુમલો પણ કરાશે. રાજકીય સહિત પોલીસ અધિકારીઓ મળી ૧૩ લોકોને આ પત્રમાં ટાર્ગેટ કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, એનઆરસીના નામ પર આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરાવીશું. ‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’, પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. આ પત્રને પગલે ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી હતી અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter