બાપાની નિશ્રામાં ૧૦૦ દિવસનો અખંડ ભજન-ભક્તિ યજ્ઞ

Wednesday 10th February 2016 06:15 EST
 

સારંગપુરઃ વિશ્વમાં શાંતિ પ્રસરે અને સૌ જીવોનું શ્રેય થાય એ હેતુથી તીર્થભૂમિ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં ચોથી ફેબ્રુઆરીથી ૧૦૦ દિવસનો અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો.
સારંગપુર મંદિરના જ્ઞાનાનંદસ્વામીએ કહ્યું હતું કે, સારંગપુર મંદિર શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો. ૨૦૧૬ની ૧૨ મેએ સારંગપુર મંદિરને ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. ત્યારે રોજ સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ભજન-સત્સંગ થશે. બપોરના સમયે મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનો ગાવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજે ભજન-ભક્તિ યજ્ઞનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આખું વર્ષ સારંગપુર શતાબ્દિ વર્ષ તરીકે ઊજવી રહ્યા છીએ જેમાં પર્યાવરણ, સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter