અમદાવાદઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન સ્વ. અશોકભાઈ ભટ્ટનાં ધર્મપત્ની અને જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં માતૃશ્રી જ્યોતિબહેન અશોકભાઈ ભટ્ટનું ૨૫મી ડિસેમ્બરે અવસાન થતાં ભૂષણ ભટ્ટે માતૃશોક વ્યક્ત કર્યો હતો. વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ પણ જ્યોતિબહેનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.