9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

Monday 26th May 2025 05:06 EDT
 
 

દાહોદઃ વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હાલ પણ ચાલુ છે. દાહોદ અને ભારતની તમામ મારી બહેનોને આ ઓપરેશન સિંદૂર સમર્પિત છે. 'ઓપરેશન સિંદૂર' એ દેશની સેનાનું શૌર્ય અને નિર્ણાયકતાનું પ્રમાણ છે.
તેમણે જણાવ્યું હતું કે, 3 વર્ષ અગાઉ આ ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જે આજે ભારતની મેન્યુક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બન્યું છે. આ સિધ્ધિ ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં બનેલું 9,000 હોર્સપાવર ધરાવતું આ એન્જિન એ માત્ર દાહોદનું નહિ, પરંતુ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટેકનોલોજીનો પરિચય આપે છે. આવનારા સમયમાં દાહોદમાંથી દર બે દિવસે એક એન્જિન તૈયાર થતું હશે, એ દિવસો હવે દૂર નથી. આ ફેક્ટરીથી સ્થાનિક યુવાઓને સિધ્ધિ બદલ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં ભારતે રેલવે ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે, .ભારત આજે રેલવે ટેકનોલોજી અને સાધનોનું નિર્માણ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉદી અરબ, ફ્રાન્સ, મેક્સિકો, સ્પેન અને જર્મની જેવા દેશોમાં નિકાસ કરી રહ્યું છે.
દાહોદનું એન્જિન વિદેશમાં પણ દોડશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે સ્ટીમ એન્જીનનો યુગ હતો. એ સમયગાળામાં દાહોદ રેલવેનું મોટું અને મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર હતું. વડાપ્રધાને અહીં નવ હજાર હોર્સ પાવરનું આધુનિક ઈલેક્ટ્રીક એન્જીન નિર્માણ કરાવવાનું નિયત કર્યું હતું. આ કામનો પ્રારંભ 2022માં થયો અને હવે અહીં આધુનિક રેલ્વેનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. એમને ડી-9 નામ આપવામાં આવ્યું છે. એનો મતલબ કે દાહોદ 9000 દાહોદ નામ સાથે જોડાયેલા રેલ્વે એન્જીન વિદેશમાં પણ દોડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter