અમી એડ્સના પ્રવીણભાઇ શાહનું નિધન

Wednesday 05th July 2017 09:23 EDT
 

વડોદરાઃ અખબારોની સાથે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી સંકળાયેલા વડોદરાની અમી એડસ્ એજન્સીના સ્થાપક પ્રવીણભાઇ શાહનું ૧લી જુલાઈએ નિધન થયું છે. ત્રણ દિવસ અગાઉ હ્રદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના માહિતી વિભાગથી કારકિર્દી શરૂ કરનાર પ્રવીણભાઇ મણિભાઇ શાહના અંતિમસંસ્કાર કારેલીબાગ ખાસવાડી અંતિમધામમા કરાયા હતા. જેમાં મીડિયા ઉપરાંત વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો હાજર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter