અમેરિકામાં અશ્વેતોએ લૂંટના ઇરાદે ચરોતરના વેપારીની હત્યા કરી

Thursday 17th September 2020 05:15 EDT
 
 

આણંદઃ અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી આવ્યાં હતાં. અશ્વેતોએ અશ્વિનભાઈ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બ્લેકવિલની પોલીસને આ બનાવની જાણ થતાં સ્ટોર પર દોડી આવી હતી. અશ્વિન પટેલના મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો હતો. લૂંટ ચલાવીને ભાગી ગયેલા અશ્વોતો વિરુદ્ધ સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. વિદ્યાનગર નર્મદાવાસમાં રહેતા અશ્વિન પટેલ ૩૦ વર્ષ અગાઉ અમેરિકાનાં સાઉથ કેરોલિનાના બ્લેકવિલમાં પરિવાર સાથે સ્થાયી થયાં હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter