આંકલાવમાં વરરાજાએ દોઢસો જાનૈયા સાથે મતદાન કર્યું

Wednesday 20th December 2017 05:33 EST
 
 

આંકલાવ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૪મી નવેમ્બરે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં મધ્ય ગુજરાતમાં આવેલા આંકલાવમાં સવારે જાન પ્રસ્થાન કરતા પૂર્વે વરરાજા હાર્દિકભાઈ રાજે ૧૫૦ જેટલા જાનૈયાઓ સાથે પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. વરરાજા અને જાનૈયાઓ સજીધજીને જાન લઈને જ પહેલાં મતદાન મથકે પહોંચ્યા હતા અને પછી ત્યાંથી જાન માંડવે પહોંચી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter