ગાઝિયાબાદઃ આણંદ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસર કિશોરભાઈ નાથુભાઈ રાઠોડ અને તેના એકાઉન્ટન્ટ પ્રમેશભાઈ ભુપેન્દ્રભાઈ દોષીએ ભેગા મળીને વેપારી પાસેથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તેમ જણાવી તેનું એસેસમેન્ટ કરવા માટે રૂ. ૫૦ હજારની લાંચની માગ કરી હતી. જે પૈકી બંને જણાએ તેમની પાસેથી પહેલાં રૂ. ૨૫ હજાર પડાવી લીધા હતા. બાકીના રૂ. ૨૫ હજાર લેવા અવાર-નવાર માગ કરાતી હતી. રકઝક બાદ રૂ. ૧૦૦૦૦ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ૩જી ડિસેમ્બરે રૂ. ૧૦૦૦૦ આપવા જતાં એકાઉન્ટન્ટ અને ઈન્કમટેક્સ ઓફિસરને એસીબીએ ઝડપી પાડ્યા હતા.