એમ.એસ.ના ચાન્સેલરપદે રાજમાતા બિરાજશે

Monday 23rd March 2015 07:14 EDT
 
 

વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર દિવંગત મૃણાલિનીદેવી પુઆરના નિધન બાદ હવે તેમના સ્થાને નવા ચાન્સેલરની નિમણૂક માટે કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. આ યુનિવર્સિટીના સર્વોચ્ચ પદ માટે રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડને પસંદગી થઇ હોવાનું સૂત્રો જણાવે છે. રાજ્ય સરકાર તેમના નામની સત્તાવાર જાહેરાત વિધાનસભામાં કરશે અને રાજ્યપાલને મંજૂરી માટે મોકલી આપશે. રાજ્યપાલ તરફથી મંજૂરી મળતાં જ સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter