એસટીની ટક્કરે ખેડાસા દૂધ મંડળીના સેક્રેટરીનું મોત થતાં ચક્કાજામ

Wednesday 12th June 2019 06:22 EDT
 

આણંદઃ બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર ઇંગ્લાવડી પાસે પાંચમીએ સાંજે બોરસદથી કિંખલોડ તરફ જતી બસે ખેડાસા દૂધ મંડળીના સેક્રેટરી મનુભાઈ સોલંકીની કાર અડફેટે લેતાં આ અકસ્માતમાં મનુભાઈનું ઘટનાસ્થળે મોત થયું. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ એસટી બસના કાચ તોડી નાંખ્યા હતા અને ચક્કાજામ કરતા સાત-સાત કિમી સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોળાંને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ચાર લોકોની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter