કાર પલટી જતાં ૪નાં મોતઃ એક ઇજાગ્રસ્ત

Tuesday 14th May 2019 08:56 EDT
 

નડિયાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના નડિયાદ નજીક હઠીપુર નાળા પાસે દસમીએ સવારે એક સ્વિફ્ટ કાર પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર રાજસ્થાનની ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક ઈજાગ્રસ્તને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. મુસાફરો મુંબઈથી રાજસ્થાન તરફ જતા હતા ત્યારે કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter