કોરોના ઇફેક્ટઃ ડાકોરમાં પ્રથમ વખત ફાગણોત્સવ રદ

Saturday 07th March 2020 06:21 EST
 

નડિયાદ: કોરોના વાઇરસથી ગંભીર અસરના ભાગરૂપે સરકારે ડાકોરમાં ફાગણોત્સવ-૨૦૨૦નો કાર્યક્રમ રદ કરાયાનું મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે.
ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરાયો હોવાની આ પ્રથમ ઘટના છે. ડાકોર નજીક ગાયોના વાડા પાસે રાધાકૂંડની સામેના ભાગમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રસિદ્વ કલાકાર ડો. નિર્મળદાન ગઢવી તથા તનવી ગઢવી અને જિજ્ઞેશ ગઢવી સૂર રેલાવવાના હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter