ખંભાતમાં જૂથ અથડામણઃ આગચંપી, પથ્થરમારો, ૧નું મોત

Monday 27th January 2020 05:46 EST
 

આણંદઃ ખંભાતના અકબરપુરામાં ૨૪મીએ બપોરની નમાઝ બાદ બે જૂથો વચ્ચે સામાન્ય બાબતને લઈને થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. કેટલાક અસામાજિક તત્ત્વોએ ૧૦થી વધુ મકાનોને આગચંપી કરતાં મામલો વધુ બેકાબૂ બન્યો હતો.
આ ઘટનાની જાણ ખંભાત શહેર પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યાં હતાં જોકે બેકાબૂ ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. અંતે ટીયરગેસના સેલ છોડી અને ફાયરિંગથી ટોળાને વિખેરીને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવામાં પોલીસ સફળ રહી હતી. પોલીસ ફાયરિંગમાં એકનું મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter