ખિસ્સાખર્ચી આપવામાં કરકસર કરતી NRI માતાની પુત્ર દ્વારા હત્યા

Wednesday 09th November 2016 11:59 EST
 
 

વડોદરાઃ આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની હત્યા કર્યા પછી યશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘરમાં લૂંટ અને હત્યાની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાવી હતી. યશ દ્વારા ફરિયાદ કરાઈ હતી કે ઘરમાં કોઈ અજાણ્યા શખસોએ ઘૂસીને તેની માતાની હત્યા કરી છે અને રૂ. ૧૫ હજારના મુદ્દામાલની લૂંટ થઈ છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ૪૯ વર્ષીય નિશાબહેનની લાશ મળી હતી, પરંતુ અજાણ્યા માણસો દ્વારા લૂંટ થયાની વાત પર શંકા થતાં યશની પૂછપરછ કરી જેમાં પુત્ર પર જ શંકા જતાં પોલીસે તેની સઘન પૂછપરછમાં યશે કબૂલ કર્યું કે પોતાના મિત્ર સાથે મળીને ઘટનાને તેણે જ અંજામ આપ્યો હતો. યશે પોલીસને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી માતા પુત્ર અમેરિકાથી બેડવામાં આવીને વસ્યા હતા. ટૂંકી આવક હોવાથી માતા પુત્રને ખર્ચ કરવા માટે નાણા આપતી નહોતી તેથી નાણા મેળવવા પુત્રએ મિત્ર પાર્થની મદદ લઈને માતાને ઓશિકાથી ગૂંગળાવી હત્યા કરી નાંખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter