ગુજરાતમાં કોંગ્રેસ ૧૨થી ૧૫ બેઠકો જીતશેઃ અહેમદ પટેલ

Wednesday 17th April 2019 07:45 EDT
 
 

વડોદરાઃ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વડોદરા શુગર ફેક્ટરીના સ્થાપક જગદીશ પટેલના જીવનના ૭૫ વર્ષ પૂરા થતાં ૧૫ એપ્રિલના રોજ છાણીના સપ્તપદી લોન ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. જેમાં સાંસદ અહમદ પટેલ મુખ્ય અતિથિ રહ્યાં હતાં.
આ કાર્યક્રમ દરમિયાન અહમદ પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં ૧૨થી ૧૫ બેઠકો જીતશે. સાથોસાથ તેમણે એવી પણ આગાહી કરી હતી કે ૨૩ મે પછી નરેન્દ્ર મોદી દેશના માજી વડા પ્રધાન હશે.
અહમદ પટેલે પત્રકારોની સાથે વાતચીતમાં વધુ જણાવ્યું કે, દેશમાં પ્રજાજનો મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોથી પરેશાન થઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter