ચરોતરના તળાવોમાં વસે છે અહિંસક મગર

Thursday 29th April 2021 05:31 EDT
 

આણંદઃ જિલ્લામાં ૫૦૦ થી વધુ મગરો વસે છે જેમાંથી સોજિત્રા તાલુકાનાં તળાવોમાં ૩૦૦ થી વધુ મગરો છે. મહત્ત્વની વાત એ છે કે આ મગરો અહિંસક છે, કેમ કે આ મગરે કયારેય કોઇ હુમલા કર્યા નથી. મલાતજ ગામના બે તળવામાં જ ૧૫૦ થી વધુ મગરો વસવાટ કરે છે. તમે કોઈ પણ તળાવના કિનારે નજર નાંખો તો એવુ ના બને કે તમને મગર ન દેખાય. ત્યારે નાનકડા આ ગામડાઓ મગરનું માવતર બની ગયા છે.
ફોરેસ્ટ અધિકારી અજય મહિડા જે હાલમાં મગર પણ રિસર્ચ કરી રહ્યાં છે. તેમના કહેવા મુજબ આ મગરો છીછરા પાણીમાં વસતા હોવાથી અહિંસક હોય છે. તેમનું આયુષ્ય ૪૦ થી ૫૦ વર્ષનું હોય છે. મગરને ૭૦ દાંત હોય છે અને જીવનમાં ૫૦ વખત દાંત બદલી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter