ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં પરિવારનાં ચાર સભ્યોનાં મૃત્યુ

Wednesday 06th June 2018 06:53 EDT
 

વડોદરાઃ ખેડા જિલ્લાના ધર્મજમાં આવેલા જૈન મંદિરે મુંબઈથી દર્શન કરવા આવતા  શાહ અને ભાખરીયા પરિવારના છ સદસ્યોને વડોદરા શહેર ગોલ્ડન ચોકડી નજીક બીજી જૂને વહેલી સવારે અકસ્માત નડતાં પરિવારના ચાર સદસ્યોનાં મૃત્યુ થયાં છે. ગોલ્ડન ચોકડી પાસે ઊભેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાજેન્દ્રભાઈ પન્નાલાલ શાહ (ઉ. ૫૩, મીરાંરોડ, મુંબઈ), જસ્મીનાબહેન રાજેન્દ્રભાઈ શાહ (ઉ. ૪૬, મીરાંરોડ, મુંબઈ), રેખાબહેન કિરીટભાઈ શાહ (ઉ. ૭૨, કાંદીવલી, મુંબઈ) અને હિનાબહેન મિહિરભાઈ ભાખરીયા (ઉ. ૩૮, કાંદીવલી, મુંબઈ)નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પર્લ મિહિરભાઈ ભાખરીયા (ઉ. ૧૫)ને ઈજા થતાં વડોદરાની હોસ્પિટલમાં તેને ખસેડાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter