ડો. વિઠ્ઠલભાઇ પટેલનું નિધનઃ

Friday 03rd April 2015 07:45 EDT
 

સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલનું ૧-૪-૨૦૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્ગતનો પાર્થિવદેહ અનુપમ મિશન ખાતે પંચમહાભૂતમાં વિલિન થયો છે.

વડોદરામાં બનશે રેલવે યુનિવર્સિટીઃ રેલવે અધિકારીઓને તાલીમ આપતી વડોદરાની સંસ્થા નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેને હવે યુનિવર્સિટીનો દરજ્જો મળશે. આ અંગે રેલવે રાજ્ય પ્રધાન દ્વારા તાજેતરમાં જ સત્તાવાર જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫-૧૬ના રેલવે બજેટમાં પણ રેલવે પ્રધાને રેલવે યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે રેલવે મંત્રાલય દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter