તબીબ બનાવવા વાલી મારી પાસે આવે છે

Wednesday 22nd March 2017 08:45 EDT
 
 

વડોદરાઃ સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ વાલીઓ પાસેથી ભારે રકમ વસૂલી વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન આપે છે. આ કેસમાં રિમાન્ડ બાદ સયાજી હોસ્પિટલમાં મનસુખ શાહને કેટલાક મેડિકલ ટેસ્ટ માટે લવાયા હતા. ત્યાં એક મહિલા તબીબે તેને આડે હાથ લીધા કે, મારી દીકરીને મેડિકલનું છ મહિનાનું ભણતર બાકી હતું ત્યારે આખા વર્ષની ફી પેટે રૂ. ૪.૫૦ લાખ વસૂલ કર્યાં હતાં. તબીબના આક્રોશ સામે મનસુખે પણ રોકડું પરખાવ્યુું કે, હું આરોપી થઈને આવ્યો છું ત્યારે તમે મને આ બોલો એ તમારી ખાનદાની નથી. હું કોઈના ઘરે પૈસા લેવા ગયો નથી. જેમના સંતાનો તબીબ બનવાને લાયક નથી તેમના વાલી મારી પાસે આવીને તેમના પોતાના સંતાનોને તબીબ બનાવવા કરગરે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter