દર્શને જતા કાર પલટી જતાં દંપતીનાં મૃત્યુ

Sunday 17th January 2021 10:44 EST
 

દ્વારકાઃ ટંકારા-લતીપર રોડ પરના સાવડી ગામના વળાંકમાં પસાર થતી કાર આડે કૂતરું ઉતરતાં કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૭મી જાન્યુઆરીએ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં બેઠેલા વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેમનાં પત્ની રાધિકાબહેન વિક્કીભાઈ ચૌહાણને ગંભીર ઇજા થવાથી બંનેનાં મૃત્યુ નીપજ્યાં હતાં. અન્ય મુસાફરો અનિલભાઈ મોરી, દક્ષાબહેન અનિલભાઈ મોરી, આર્યાબહેન ચૌહાણ, ચંદનબહેન રમેશભાઈ મોરીને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક દંપતી સહિતનો પરિવાર વડોદરાથી દ્વારકા દર્શન કરવા જતો હતો ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter