દલસુખ પ્રજાપતિ સહિત ૭૦૦ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

Wednesday 20th September 2017 09:32 EDT
 
 

વડોદરાઃ કોગ્રેસ છોડી ચૂકેલા શંકરસિંહ વાઘેલાના મજબૂત કોંગ્રેસી સાથીદાર અને પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર ઠાકોરભાઈ પટેલ સહિતના ૭૦૦ કાર્યકરોએ ૧૩મીએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાયા હતા. કમલમમાં યોજાયેલી બેઠકમાં ભાગ લઇને બધાએ પક્ષપલટો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શંકરસિંહે કોંગ્રેસ છોડ્યા પછી રાજ્યના વિવિધ શહેર અને જિલ્લાના સમર્થકો પણ કોંગ્રેસ છોડવા લાગ્યા હતા. ૧૧મીએ જ જંબુસરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા તેના કાર્યકરોની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. એ પછી વડોદરા શહેરના  સયાજીગંજ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter