દાહોદમાં ફરી એક વખત ધર્માંતરણના મામલે ડખો

Wednesday 22nd May 2019 07:19 EDT
 

દાહોદ: દાહોદમાં ફરી ધર્માંતરણના મામલે ડખો થયો હોવાનું પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ તાલુકાના જૂનાપાણી ગામમાં રહેતા નરેશભાઈ માવી ઘરે હતાં ત્યારે ગામનાં જ દિલીપ મથુર ડામોર તેમજ અન્ય બે અજાણ્યા યુવકો ૧૯મીએ તેમના ઘરે આવ્યા હતાં. ત્રણેએ તું અમારા ખ્રિસ્તી ધર્મમાં કેમ આવતો નથી અને દેવળ બનાવવામાં સહયોગ કેમ આપતો નથી કહેતા બોલાચાલી થઈ હતી. ખ્રિસ્તી ધર્મમાં જવાની નરેશભાઈએ ના પાડતાં ત્રણે યુવકોને ઉશ્કેરાઈને નરેશભાઈ સાથે મારમારી શરૂ કરી હતી. દીલીપે નરેશભાઈના કપાળ પર પથ્થર મારીને લોહી લુહાણ કરી નાખ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter