નડિયાદમાં બીએપીએસ સ્વામીનારાયણ સંતનિવાસનો શિલાન્યાસ વિધિ સંપન્ન

Wednesday 20th December 2017 05:33 EST
 
 

નડિયાદ: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં નડિયાદ પીપલગજમાં યોગી ફાર્મમાં અત્યાધુનિક સંતનિવાસનો નવનિર્માણનો શિલાન્યાસ વિધિ ડોક્ટર સ્વામીના શુભહસ્તે ૧૩મી નવેમ્બરે સંપન્ન થયો હતો. આ સમારોહમાં આણંદ મંદિરનાં કોઠારી ચરણ સ્વામીજી, બોચાસણ મંદિરના કોઠારી વેદજ્ઞસ્વામીજી, નડિયાદ મંદિરના કોઠારી સર્વમંગલ સ્વામીજી, મહેળાવ મંદિરના કોઠારી ગુણાતીત સ્વામીજી તેમજ અનેક દેશી - વિદેશી હરિભક્તો  ઉપસ્થિત રહ્યા હતા. આ સંતનિવાસમાં મહંતસ્વામી મહારાજ, સંતોના નિવાસસ્થાન ઉપરાંત બાળ – યુવા - મહિલા સત્સંગ પ્રવૃત્તિઓના કાર્યાલયોનું નિર્માણ થશે. આ નિવાસસ્થાન તથા કાર્યાલય  મુખ્ય મંદિરના ભાગરૂપે હશે. શાસ્ત્રોક્ત શિલાન્યાસ વિધિમાં ડોક્ટર સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓને વાગોળવા સાથે સત્સંગમાં ‘સંપ હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિનો વાસ હોય’ એવું કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter