નિવૃત્ત અધિકારીનો પત્ની સાથે આપઘાત

Wednesday 16th November 2016 06:34 EST
 

આણંદઃ ઉમરેઠના કાકાની પોળમાં રહેતા રાજેશભાઈ શાહ બે વર્ષ પહેલાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના પત્ની જ્યોતિકાબહેન તાલુકાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમનો પુત્ર અમદાવાદમાં નોકરી કરે છે. ૧૦મીએ રાત્રે અઢી કલાકે ઉમરેઠના વાઘનાથ ચકલા ખાતે રહેતા મનોજભાઈ શાહને તેમના કાકાની પોળમાં રહેતા પુત્ર મીરલે તેમની પાસેના ઘરમાં આગ લાગી હાવોની અને બૂમો પડતી હોવાની જાણ કરી હતી. જેના પગલે મનોજભાઈ તુરંત જ તેમના ઘરે દોડી આવ્યા હતા.

ઘરમાં રાજેશભાઈ શાહ અને તેમની પત્ની જ્યોતિકાબહેન સળગી ગયેલી હાલતમાં નીચે પડ્યા હતા.
રાજેશભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા જ્યોતિકાબહેનને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આર્થિક રીતે સુખી સમૃદ્ધ હોવા છતાં પણ પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter