પશુપાલકોએ પીએમ રાહત ફંડ માટે રૂ. ૭ કરોડ એકઠા કર્યા

Monday 27th April 2020 15:39 EDT
 

પાલનપુર: ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ચેરમેન અને નેતા શંકરભાઇ ચૌધરીએ કોરોના વાઈરસની મહામારીને લઇને પીએમ રાહત ફંડમાં સહાય કરવા બનાસકાંઠાના પશુપાલનોને તાજેતરમાં અપીલ કરી હતી. શંકર ચૌધરીએ અપીલ કરી તેના ૭૨ કલાકમાં જ પશુપાલકોએ રૂ. ૭ કરોડ ૧૪ લાખ એકઠા કરી દીધા હતા તેવું ૨૪મી એપ્રિલે જાહેર કર્યું હતું. શંકર ચૌધરીએ બનાસકાંઠાના પશુપાલકોનો દિલથી આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter