પૂ. મહંતસ્વામી ચારુસેટની મુલાકાતે

Wednesday 30th November 2016 07:46 EST
 
 

આણંદઃ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના છઠ્ઠા વડા મહંત સ્વામીએ ૧૮મી નવેમ્બરે ચારુસેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલે પુષ્પમાળાથી સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. ચારુસેટ કેમ્પસના અંબાલાલ આઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ચારુસેટ કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ સહિત ચારુસેટ સાથે સંકળાયેલા મહાનુભાવો હાજર હતા.
આ પ્રસંગે ડો. એમ. સી. પટેલે જાહેરાત કરી હતી કે, પી ડી પટેલ પરિવાર તરફથી રૂ. ત્રણ કરોડનું માતબર દાન મળતાં યુનિવર્સિટી દ્વારા પી ડી પટેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન રિન્યુએબલ એનર્જી સેન્ટર સ્થાપિત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter