ફૈયાઝ ખાન જેવો સંગીતનો બાદશાહ ૧૦૦ વર્ષમાં થયો નથીઃ અમજદઅલી ખાન

Wednesday 15th March 2017 08:29 EDT
 
 

વડોદરાઃ સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરાના કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને ૧૧મીએ વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત લીધી હતી. તેઓએ ગળગળા થતાં કહ્યું હતું કે, ફૈયાઝ ખાન જેવો સંગીતનો બાદશાહ ૧૦૦ વર્ષમાં થયો નથી.
આફતાબ-એ-મૌસીકી ફૈયાઝ ખાનની દરગાહ પર અમજદઅલી ખાને જણાવ્યું હતું કે, ગુરુએ શીખવાડ્યું હોય તેવું જ ગાવાની જગ્યાએ ફૈયાઝ ખાન અલગ અને ચમત્કારિક રીતે ગાતા હતા. તેમનામાં શ્રોતાની નાડ પારખવાની શક્તિ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter