બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયને ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશનલ એક્સેલન્સ એવોર્ડ

Thursday 08th February 2018 00:44 EST
 
 

આણંદઃ ગુજરાત સરકારના કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘ગુજરાત એજ્યુકેશન ફેર-૨૦૧૮’ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ અલગ અલગ કેટેગરીમાં રાજ્યની ૧૩૧ ઈજનેરી તથા ૫૬ ફાર્મસી સંસ્થાઓમાંથી સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના આચાર્ય ડો. ઈન્દ્રજીત એન. પટેલને એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન વિભાવરીબહેન દવે, જી.ટી.યુ.ના વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠ, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter