વાઘોડિયાઃ આંગણવાડી કાર્યકરોના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે બંગડી ફેંકનાર ચંદ્રિકાબહેન સોલંકીએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ કોંગ્રેસે વાઘોડિયા બેઠક બીટીએસને ફાળવતાં ત્યાં પ્રફુલ્લ વસાવા ચૂંટણી લડશે. વાઘોડિયા સીટ પરથી ભાજપના મધુ શ્રીવાસ્તવને ટિકિટ મળતા આ બેઠકના દાવેદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષ લડવાનું નક્કી કર્યું છે.