વડતાલ મંદિરની ચૂંટણીમાં ૫૬ ટકા મતદાનઃ

Wednesday 08th April 2015 08:45 EDT
 

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ટેમ્પલ કમિટિની ચૂંટણી ૪ એપ્રિલે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. કમિટિની છ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ચારેય ઝોનમાં સરેરાશ ૫૬ ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી વડતાલ સહિત રાજકોટ, સુરત અને મુંબઈમાં યોજાઈ હતી. જેમાં વડતાલમાં ૨૮ બુથ પર, રાજકોટમાં બે બુથ ઉપર, સુરતમાં ૧૭ બુથ ઉપર અને મુંબઈમાં ૩ બુથ ઉપર સંતો, પાર્ષદો અને હરિભક્તોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડોદરામાં બનશે રેલવે યુનિવર્સિટીઃ રેલવે અધિકારીઓને તાલીમ આપતી વડોદરાની સંસ્થા નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેને હવે યુનિવર્સિટીનો દરજ્જો મળશે. આ અંગે રેલવે રાજ્ય પ્રધાન દ્વારા તાજેતરમાં જ સત્તાવાર જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫-૧૬ના રેલવે બજેટમાં પણ રેલવે પ્રધાને રેલવે યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે રેલવે મંત્રાલય દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter