શહીદ જવાનોના પરિવારો માટેની રામકથામાં આશરે રૂ. ચાર કરોડનું દાન એકત્ર થયું

Thursday 14th December 2017 01:36 EST
 
 

સુરત: ‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનો હતો. ચોંકાવનારી વાત એ છે કે રામકથા પૂર્ણ થયાના બે દિવસ સુધી દાનમાં આવેલા કરોડો રૂપિયાની ગણતરી ચાલી હતી. આ ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. ૧૦ દિવસ ચાલેલી રામકથામાં આશરે ૧૨ લાખ શ્રોતાઓ હાજર રહ્યા હતા અને આ શ્રોતાઓએ કુલ આશરે ચાર કરોડનું દાન કર્યું હતું. આ રકમમાં ચેક દ્વારા મળેલા દાનનો સમાવેશ કરાયો નથી. રોજેરોજ રામકથામાં દસ રૂપિયાની નોટોથી માંડીને પાંચસો બે હજારની કેશને ગણવા માટે ૫૦ લોકો કાર્યરત કરાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter