શાંતિચર્ચા માટે નોર્થ કોરિયાના સરમુખત્યારે પાંચ લાખ ડોલર માગ્યાઃ શ્રી શ્રી

Tuesday 24th October 2017 14:25 EDT
 
 

વડોદરાઃ દીપોત્સવ નિમિત્તે વડોદરા પધારેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેની વર્તમાન સ્થિતિનું નિરાકરણ લાવીને શાંતિ સ્થાપવા માટે અમે પ્રયત્ન કર્યો હતો.
વાસદ નજીક આવેલા આશ્રમમાં તેમણે જણાવ્યુ હતું કે, આ પ્રયાસના ભાગરૂપે અમે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોં ઉંની સાથે વાતચીત કરવા માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા સમય માગ્યો હતો, પરંતુ કિમ દ્વારા અડધો કલાક વાતચીત કરવી હોય તો પાંચ લાખ ડોલરની માગ કરી હતી. આના પરથી લાગે છે, આવા મૂર્ખ લોકોની સાથે વાટાઘાટો કરવાનો કોઇ જ અર્થ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter