સંખેડાના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મૃત્યુ

Monday 11th January 2021 05:59 EST
 

સંખેડા: છોડા ઉદેપુરના સંખેડાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પ્રધાન બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન ૮૦ વર્ષની વયે છઠ્ઠી જાન્યુઆરીએ વહેલી સવારે નિધન થયું હતું. જેને પગલે તેમના પરિવાર અને કોંગ્રેસમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાબરભાઇ તડવી, ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જોકે, ૨૦૦૭માં તેઓ હાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter