સંતરામ મંદિરે ૨૦૦ મણ સાકરની વર્ષા

Wednesday 12th February 2020 05:42 EST
 
 

નડિયાદઃ ૧૮૯ વર્ષ પહેલાં મહા પૂનમે સંતરામ મહારાજે સમાધિ લીધી હતી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ અને જ્યોત પ્રગટી હતી તેવી વાયકા છે. એ સમયથી દર વર્ષે મહા પૂનમે સાકર વર્ષાનો મહિમા ઊજવાય છે. આ વર્ષે પણ મહા પૂનમે સાંજના સમયે મંદિરના પટાંગણમાં અગાસી પરથી સંતો અને ભાવિકોએ ૨૦૦ મણ સાકરની વર્ષા કરી હતી. એ સમયે સંતરામ મંદિર ‘જય મહારાજ’ નાદથી ગુંજી ઊઠ્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter

We use cookies to help deliver our website. By using this website you agree to our use.Learn moreGot it