સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહનું નિધન

Wednesday 11th April 2018 07:45 EDT
 
 

વડોદરા: પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણની તબિયત બગડતાં તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર પછી ચોથી એપ્રિલે તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. તેઓના પિતા પ્રભાતસિંહ દિલ્હીથી વડોદરા તાત્કાલિક આવી પહોંચ્યા હતા. પ્રવીણસિંહની મહેલોલની મુવાડી ખાતે અંતિમયાત્રા નીકળી હતી. પ્રવીણસિંહનું મૃત્યુ થતાં મેહલોલની મુવાડી સહિત આસપાસના ગામજનોએ સ્વેચ્છાએ ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. પ્રવીણસિંહ થોડા સમય અગાઉ જ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણસિંહનાં પત્ની સુમનબહેનને કાલોલ વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ વિજેતા બન્યાં હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter