સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સર્જનનો વિચાર મોદીને કોણે આપ્યો હતો?

Wednesday 14th November 2018 06:01 EST
 
 

કેવડિયા કોલોનીઃ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર કોને આવેલો? બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. ઓગસ્ટ-૨૦૧૦ના અરસામાં રાજ્યના નિવૃત્ત મુખ્ય સચિવ એવા સરદાર સરોવર નર્મદા નિગમના એ સમયના ચેરમેન ડી. રાજગોપાલન જેઓ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત મિત્ર હતા, તેમણે આ આઇડિયા મોદી સમક્ષ રજૂ કર્યો હતો.
કેવડિયા નજીક વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા બને, જે નર્મદા ડેમ તરફ જોતી હોય અને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની માફક એ પ્રતિમાની અંદરથી લિફ્ટ દ્વારા છેક ઊંચે જઇ નજારો નિહાળી શકાય, એવો મૂળ વિચાર વિસ્તૃત પ્રેઝન્ટેશન સાથે પૂણેના એક આર્કિટેક્ટએ એમના મિત્ર એવા ડી. રાજગોપાલન સમક્ષ સમક્ષ રજૂ કર્યો હતો અને આ પરિકલ્પના રાજગોપાલનએ મોદીને જણાવી ત્યારે મોદી અત્યંત પ્રભાવિત થયા હતા અને એમણે તરત જ પ્રોજેક્ટ હાથ ઉપર લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના યાદ કરતાં વરિષ્ઠ અધિકારીઓ સંભારે છે કે, આઇડિયા સુઝાડનારા ડી. રાજગોપાલન અત્યારે ક્યાં છે તે જાણમાં નથી, પણ એમણે રજૂ કરેલો વિચાર આજે મૂર્તિમંત થઇ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter