સ્વામી સચ્ચિદાનંદજીને અયોધ્યાથી આમંત્રણ

Friday 05th January 2024 06:15 EST
 

અયોધ્યાઃ અયોધ્યામાં યોજાનારા રામંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે ઉમંગ-ઉલ્લાસનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત દેશભરમાં 4000 સંતો-મહંતોને પણ આમંત્રણ અપાયું છે, જેમાં દંતાલી આશ્રમના સુપ્રસિદ્ધ સંત સ્વામી સચ્ચિદાનંદજીનો પણ સમાવેશ થાય છે. ક્રાંતિકારી વિચારસરણી માટે જાણીતા સ્વામી સચ્ચિદાનંદજીને વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિએ રૂબરૂ મળીે આમંત્રણ પત્રિકા સુપરત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter