૧૯૮૫માં ભાગી ગયેલા પ્રેમી પંખીડાં ૩૫ વર્ષે ઝડપાયાં

Monday 15th February 2021 15:00 EST
 

નડિયાદ: ચકલાસીમાં પ્રણામીનગરમાં રહેતા કાંતિભાઇ બુધાભાઇ વાઘેલા સગીર વયની પ્રેમિકાને ૩૧મી ઓગસ્ટ ૧૯૮૫માં ભગાડી ગયા હતા. તેઓએ સગીરા સાથે લગ્ન કરીને સંસાર વસાવ્યો હતો. બંનેને સંતાનમાં બે દીકરીઓ પણ થઈ અને દીકરીઓને લગ્ન કરીને સાસરે પણ વળાવી છે. એકાએક ચકલાસી પોલીસની ટીમને કાંતિભાઈ અંગે જાણ થઈ. સગીરા તેના ઘરેથી પૈસા ચોરીને ભાગી હોવાથી અને કાંતિભાઇ તેને ભગાડી ગયા હોવાથી ત્યારે ફરિયાદ નોંધાઇ હતી. હવે પોલીસે બંનેની અટક કરી તેમને ચકલાસી લઇ આવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter